કેદીઓને હાજર કરવા ફરમાવવાની સતા - કલમ:૨૬૭

કેદીઓને હાજર કરવા ફરમાવવાની સતા

(૧) આ અધિનિયમ હેઠળની તપાસ ઇન્સાફી કાયૅવાહી કે બીજી કાયૅવાહી દરમ્યાન જયારે પણ ફોજદારી કોર્ટને એમ જણાય કે (ક) જેલમાં કેદ રખાયેલ કે અટકાયતમાં રખાયેલ વ્યકિતને ગુનાન તહોમતનો જવાબ આપવા માટે અથવા તેની સામેની કોઇ પણ કાયૅવાહીના હેતુ માટે કોટૅ સમક્ષ લાવવી

જોઇશે અથવા

(ખ) સદરહુ વ્યકિતને ન્યાયના હેતુ માટે સાક્ષી તરીકે તપાસવાના જરૂર છે ત્યારે કોર્ટ યથા પ્રસંગ તહોમતનો જવાબ આપવા ઉપયુન કાર્યવાહીના હેતુ માટે અથવા પુરાવો આપવા માટે સદરહુ વ્યકિતને કોટૅ સમક્ષ રજુ કરવાનુ ફરમાવતો હુકમ જેલના ઇન્ચાર્જ અધિકારીને કરી શકશે

(ર) પેટા કલમ (૧) હેઠળનો હુકમ બીજી વર્ગના મેજિસ્ટ્રેટે કર્યો હોય ત્યારે તેમા એવા મેજિસ્ટ્રેટ જેની સતા નીચે હોય તે ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટની સામી સહી ન હોય તો જેલના ઇન્ચાર્જ અધિકારીને તે મોકલી શકાશે નહી કે તેનાથી તેનો અમલ થઇ શકશે નહિ

(૩) પેટા કલમ (૨) હેઠળ સામી સહી કરવા માટે રજુ કરાયેલ દરેક હુકમ સાથે મેજિસ્ટ્રેટના અભિપ્રય મુજબ જેને લીધે હુકમ કરવાનુ જરૂરી બનેલ હોય તે હકીકતોનુ નિવેદન સામેલ રાખવુ જોઇશે અને જેની સમક્ષ તે રજુ કરવામાં આવે તે ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ એવુ નિવેદન વિચાયૅ પછી હુકમ ઉપર સામી સહી કરવાની ના ધ પાડી શકશે